• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Tuesday, June 28, 2016

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝમાંથી છે જે રમઝાન મહીનાની રાત્રીમાં તેઓ બાજમાઅત અંદાજે વીસ (20) રકાત રોજ પઢે છે.
તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે:
  1. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અને અબુ બક્ર અને ઉમરની ખિલાફતના શરૂઆતના સમયમાં તરાવીહ પ્રચલિત ન હતી.
  2. તરાવીહ બિદઅત છે.
  3. મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝ જે ફુરાદા અદા કરવાની હોય છે.
તરાવીહ:
તરાવીહ ‘તરવીહ’શબ્દનું બહુવચન છે જેનો અર્થ ‘બેસવું’થાય છે. તરાવીહ એટલે કે નાફેલા નમાઝ જે રમઝાન મહીનાની ચાર રકાત નાફેલા નમાઝ પછી આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તે તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા જે બાજમાત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.

(બેહાલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,
શરહ અલ ઝરકાની, ભાગ-1, પા. 237,  અલ નીહાયા, ભાગ-1, પા. 274 (લીસાન અલ અરબ).

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં તરાવીહનું અસ્તિત્વ ન હતું.

સુન્ની ઓલમાઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતથી તરાવીહનું ખરાપણું સાબીત નથી કરી શકતા. તેઓ બધા એકમત છે કે તેને ઉમર બીન અલ ખત્તાબે 14 હીજરીમાં પોતાના ખીલાફત કાળ દરમ્યાન શરૂ કરી. તેનું અસ્તિત્વ ન તો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં હતુ ન અબુ બક્રના ખીલાફત કાળ દરમ્યાન.
ઉમરે તે અદા કરવાનો હુકમ પોતાની રાય પ્રમાણે આપ્યો. તેણે કબુલ કર્યું કે તે એક બીદઅત છે પરંતુ એક સારી બીદઅત. રસપ્રદ વાત એ છે કે તે પોતે બાજમાઅત તરાવીહ અદા કરવામાં નિયમિત ન હતો પરંતુ તેને ઘરે ફુરાદા પઢતો હતો. આ હકીકતને કસ્તલાની, ઈબ્ને કુદામા, કલ્કશનદી જેવા નામાંકિત સુન્ની ઓલમાએ જાહેર કરી છે.


ઈબ્ને શહાબ કહે છે: પવિત્ર પયગમ્બર વફાત પામ્યા અને આ રીતે અબુબક્ર અને ઉમરની ખિલાફતના આરંભકાળ સુધી ચાલ્યું.

(સહીહ બુખારી, ભાગ-1, પા. 343)

કસ્તલાનીએ નોંધ્યું: ઉમર આ નમાઝને બિદઅત કહેતો હતો કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) આ નમાઝને બાજમાઅત પઢવાનો હુકમ આપ્યો ન હતો. અબુબક્રના ઝમાનામાં તે રાત્રીના પહેલા ભાગમાં પઢવામાં ન્હોતી આવતી. તે દરરોજ રાત્રે પઢવામાં નહોતી આવતી. ઉપરાંત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સમયમાં જે નમાઝ અદા કરવામાં આવતી તેમાં આટલી રકાત ન હતી.
(ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 657)

ઈ. કુદામા કહે છે: તરાવીહનો સંબંધ ઉમરથી આપવામાં આવે છે, જ્યારથી તેણે તેને ઉબય ઈબ્ને કાબને બાજમાઅત અદા કરવા કહ્યું અને તેણે તેમ કર્યું.
(અલ મુગની, ભાગ-2, પા. 166)


અલ અયનીનો મત: ઉમર તેને બિદઅત કહે છે કારણકે પયગમ્બરે તેને સુન્નત તરીકે સ્થાપિ ન હતી. અબુ બક્રની ખિલાફતના કાળમાં તેના પર અમલ થતો ન હતો.
(ઉમદા અલ કારી, ભાગ-11, પા. 126)


કલ્કશનદી ઉમેરે છે: ઉમરના મુખ્ય કાર્યોમાંથી તરાવીહનું સ્થાપના કરવું છે જે રમઝાન મહીનામાં પેશ ઈમામ સાથે અદા કરવામાં આવે. આ હી.સ. 14 માં કરવામાં આવ્યું.
(મસર અલ અનાફાહ ફી મઆલીમ અલ ખીલાફા, ભાગ-2, પા. 337)


અલ બાસી, સુયુતી, સખતેવારી અને અન્યોએ પણ લખ્યું છે: તરાવીહની સુન્નતને પહેલીવાર સ્થાપિત કરનાર ઉમર બીન ખત્તાબ છે. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે રમઝાનની નાફેલા પઢવાનો હુકમ ઉમરની બીદઅતોમાંથી એક બિદઅત છે.
(મહાઝેરાત અલ અવાલી, પા. 149, શર્હ અલ મવાકીફ)


ઈબ્ને સાદ, તબરી અને ઈ.અસીર એ નોંધ કરી છે: આ હી.સ. 14 નો વાકેઓ છે જ્યારે પુરૂષો માટે એક ઈમામ અને સ્ત્રીઓ માટે એકની નિમણુંક કરી હતી.
(તબકાતે ઈબ્ને સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-2, પા. 41, ઈબ્ને જવઝી દ્વારા તારીખે ઉમર બીન  ખત્તાબ, પા. 52)
અલ બાસી, ઈબ્ન અલ તીન, ઈબ્ને અબ્દ અલ બર, કહલાની અને ઝરકાનીએ આ વિષે નોંધ્યું છે કે કહલાની ઉમરના શબ્દો (આ બીદઅતે હસન છે) વિષે કહે છે: અગર કોઈ વસ્તુ બિદઅત હોય તો તે પસંદગીપાત્ર કે સારી ન હોઈ શકે. તે હંમેશા ગુમરાહીનો અર્થ આપશે.
(સુબુલ અલ સલામ, ભા.2, પા. 10, અલ મુજતહીદ ભા.1, પા. 210, શર્હ ફુરકાની, અલ મુસનીફ, ભા.5, પા. 264)


તરાવીહની શરૂઆત
ઈબ્ને શહાબ, ઉરવા બી. ઝુબૈર, અબ્દુલ રેહમાન બી અબ્દુલ કારીથી રિવાયત છે કે:
અમો ઉમર બીન ખત્તાબ સાથે રમઝાનની એક રાત્રે મસ્જીદમાં ગયા. લોકો પોતાની ફુરાદા નમાઝમાં મશ્ગુલ હતા અને કેટલાક પોતાના કબીલાવાળા સાથે વ્યસ્ત હતા. આ જોઈ ઉમર બીન ખત્તાબે કહ્યું: હું જો તેમને એક પેશ ઈમામ પાછળ એક  સાથે કરી દઉ તો તે સારૂ થશે. પછી તેણે ઉબેય ઈબ્ને કાબને તેમના પેશ ઈમામ તરીકે પસંદ કર્યો. બીજી રાત્રે અમો મસ્જીદમાં ગયા તો જોયું કે લોકો બાજમાઅત તે નમાઝ અદા કરી રહ્યા છે. ઉમરે કહ્યું: આ પ્રશંસનિય બિદઅત છે. અગર આ લોકો રાત્રીની ઉંઘ પછી ઉઠીને આ નમાઝ પઢે તે રાત્રીના પહેલા ભાગમાં પઢવા કરતા બેહતર છે.
(સહીહ બુખારી, ભા.1, પા. 342, અબ્દુલ રઝઝાક, ભા.4, પા. 285)


તરાવીહની રકાતના બારામાં વિભીન્ન મંતવ્યો:
તરાવીહ જેનો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જીવનકાળ દરમ્યાન કોઈ અંશ પણ મળતો નથી તેના બિદઅત હોવાને સાબિત કરવા તેની રકાતોના બારામાં પ્રવર્તતો ગુચવાડો પણ દલીલ છે.
પ્રચલિત માન્યતા વિસ (20) રકાતની છે પરંતુ ઘણા બધા આલીમોએ તેને નકારી કાઢે છે:
કહલાની, સુબુલ અલ સલામના લેખક આને રદ કરે છે અને કહે છે: વિસ (20) રકાતવાળી કોઈ હદીસ સહીહ નથી. જો આપણે સહીહ હદીસની વાત કરીએ તો તે 11 રકાતની છે અને 20 રકતવાળી નમાઝ બિદઅત છે.
(સુબુલ અલ સલામ, ભા.2, પા. 11)


શૌકાની નાએલ અલ અવતારમાં કહલાનીનું અનુસરણ કરતા તેમના મતે તેને બિદઅત બતાવે છે. તેના મતે રમઝાનની નાફેલાનો ફતવો યા તો બાજમાઅત પઢવાનો યા ફુરાદ પઢવાનો મળે છે. તેથી તેને તરાવીહ સુધી સીમીત કરવાનું કે ચોક્કસ રકાઅત પઢવાનું કે ચોક્કસ સુન્નત નમાઝ અદા કરવા સુધી સીમીત કરવાનું કોઈ કારણ અમને મળતું નથી.
(નાએલ અલ અવતાર, ભા. 3 પા. 53)


અલ્લામા મજલીસી લખે છે: ઈબાદતનું ઉત્તમ રૂપ હોવા છતાં તેને એક ખાસ સમય અને તરીકાથી તેને મર્યાદિત કરવી અને તેને મુસ્તહબ ગણવું તે બિદઅત અને ગુમરાહી છે. કારણકે સુન્નીઓ આને તાકીદભરી સુન્નત ગણાવે છે અને તેનું અદા કરવું મઝહબની નીશાનીઓમાંથી હોવાનું જાણે છે.
(બેહારૂલ અન્વાર, ભા. 29 પા. 51)


માહે રમઝાનની નાફેલાની રકાતની સંખ્યા બારામાં મતભેદ:
સુન્ની ઓલમાઓ દરમ્યાન આ નાફેલાની રકાત બારામાંવિરોધાભાસ છે તેનું કારણ એ છે કે આ બારામાં તેમની પાસે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી સીધી કોઈ કડી (હદીસ) jજોવા મળતી નથી. ઘણા સુન્ની ઓલમાઓ મુજબ 20 રકાત છે, અન્યોએ તેની રકાતની સંખ્યા વિવિધ રીતે નોંધી છે તેમાં 36 રકાત, 23 રકાત, 16 રકાત, 13 રકાત, 24 રકાત, 34 રકાત અને 14 રકાત જોવા મળે છે.


ઈબ્ને કુદામા 20 કહે છે, નવઈએ 20 નોંધી છે, અબુ હનીફા એ 20, શાફેઈ 20, માલેક 36, મોહમ્મદ બીન નસ્ર મરૂઝી એ 11, કસતાની એ 20, સરાખસી, હનફી, બગવી, મવરૂદી અને જુઝાએરીએ 20.
(અલ મુગની ભા.2, પા. 168, અલ મસબુત, ભા. 2, પા. 145, ઉમદા અલ કારી ભા. 11, પા. 127,
અલ ઈખ્તીયાર ભા. 11 પા. 127, અલ તેહઝીબ ફી ફિકહ  અલ શાફેઈ ભા. 2 પા. 368, અલ હાદી અલ કબીર ભા. 2 પા. 368)


શીઆ ઓલમા મુજબ તે પહેલી 20 રાત્રીઓમાં 20 રકાત છે અને આખર દસ રાત્રીઓમાં 30 રકાત છે અને વધારાની 100 રકાત કદ્રની રાત્રીઓમાં (19, 21, 23) જેની કુલ સંખ્યા 1000 ની થાય છે.
નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાનો વસ્તુ વિચાર
શાફેઈ નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાને મકરૂહ જાણે છે. જ્યારે અન્યોએ નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવાને સહીહ જાણ્યું છે. આમ તરાવીહ વિષે સુન્ની ઓલમા એકમત નથી. ભલે પછી મોટાભાગનું વલણ બાજમાઅત પઢવાનું હોય.


સુન્ની ફકીહોનો મત:
અબ્દુર રઝઝાક ઈબ્ને ઉમરથી: માહે રમઝાનની નાફેલા બાજમાઅત ન બજાવવી જોઈએ.
તેણે મુજાહીદથી રિવાયત કરી છે કે એક વ્યકિત ઈબ્ને ઉમર પાસે આવ્યો અને કહ્યું: હું માહે રમઝાનની નાફેલા બાજમાઅત અદા કરૂ છું. ઈબ્ને ઉમરે પુછયું: શું તું તીલાવતની સાથે પઢે છે? તેણે કહ્યું: હા, ઈબ્ને ઉમરે કહ્યું: તો તું ગધેડા સમાન ચુપ છે. અહીંથી ચાલ્યો જા અને તારા ઘરે ફુરાદા આ નમાઝ પઢ (બાજમાઅતના બદલે)
(અલ મસબુત ભા. 1 પા. 144)


આજ પુસ્તકના બીજા ભાગમાં તેણે નોંધ્યું છે કે તહાવીએ મોઅલ્લા, અબુ યુસુફ અને માલીકથી રિવાયત કરી છે કે આ લોકો એ મતના છે કે શકય હોય ત્યાં સુધી નાફેલા નમાઝ ઘરમાં અદા કરવી જોઈએ. શાફેઈ કહે છે: તરાવીહ ફુરાદા (એકાંતમાં) પઢવી જોઈએ જેથી તે રીયાકારી ન ગણાય.


તરાવીહ વિષે શીઆ ફકીહોનો ફતવો:
તમામ શીઆ ફકીહો નિર્વિવાદપણે નાફેલા મુસ્તહબ નમાઝોને બાજમાઅત અદા કરવું બિદઅત ગણે છે. સય્યદ મુર્તુઝા (ર.અ.) જાહેર કરે છે: જ્યાં સુધી બાજમાઅત તરાવીહનો પ્રશ્ન છે તે કોઈ શંકા વગર બિદઅત છે. આ અંગે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પેશનગોઈ કરી હતી:
અય લોકો રમઝાન મહીનાની રાત્રીની નાફેલા નમાઝ જમાતની સાથે પડવી એક બિદઅત છે.
(મનલા યહઝરહુલ ફકીહ, ભા.2 પા. 137, માહે રમઝાનની નમાઝનું પ્રકરણ)

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers