Tuesday, April 12, 2016
જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી
જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી
પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ માટે આ શબ્દોમાં દોઆ કરીઃ
قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ
شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ
الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن
لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ
رَبِّ رَضِيًّا
"તેણે કહ્યું અય પરવરદિગાર!
મારા હાડકાં સુધ્ધા નિર્બળ થઈ ગયા છે અને માંથુ ઘડપણથી સફેદ થઈ ગયું છે. અય
પરવરદિગાર! હું કયારેય તારી પાસે દોઆ માગી નાઉમેદ નથી થયો. મને મારા પછી
મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને
પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે જે મારો વારસ પણ હોય અને
યઅકુબની અવલાદનો વારસો પણ પ્રાપ્ત કરે અને અય પરવરદિગાર તેને એવો બનાવ જેને
તું પસંદ કરે."
(સુરએ મરયમ-૧૯, આયત નં. ૪-૬)
જ્યારે પયગમ્બર સ.અ.વ.નો ઈન્તેકાલ થયો અને અબુબક્રને મુસલમાનોના ખલીફા
બનાવવામાં આવ્યો ત્યારે તેણે જનાબે ફાતેમા સ.અ. ને બાગે ફદક આપવાથી ઈન્કાર
કર્યો કે જે પયગમ્બર સ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને જે આપના કબજામાં
હતો. જ્યારે જનાબે ફાતેમા સ.અ. એ અબુબક્ર પાસે બાગે ફદકની માંગણી કરી કારણ
કે તે પયગમ્બર સ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને તેનો કબજો પણ તેમને આપ્યો
હતો, ત્યારે અબુબક્ર એ આપની પાસે માલિકીના પુરાવા માગ્યા અને આપે પેશ કરેલા
ગવાહોને માન્ય ન રાખ્યા. ત્યારે જનાબે ફાતેમા સ.અ. એ પયગમ્બર સ.અ.વ.ના
એકમાત્ર વારસ તરીકે બાગે ફદકની માંગણી કરી. જે અબુબક્ર એ એમ કહીને રદ કરી
કે મેં પયગમ્બર સ.અ.વ. ને કહેતા સાંભળ્યા છે કે અમે અલ્લાહના રસુલનો ન કોઈ
વારસ હોય છે ન અમે વારસો છોડીએ છીએ.
અબુબક્રના ઉપર મુજબના વાકયએ પુરવાર કર્યુ કે તેનું આ કારણ એક ઉતાવળીયું
બહાનું છે જે તેણે જનાબે ફાતેમા સ.અ. ના કાયદેસરનો વારસો જે આપના વાલીદે
બુઝુર્ગવારે એ આપને આપ્યો હતો તેને છીનવી લેવો.
આના જવાબમાં જનાબે ફાતેમા સ.અ. એ ઉપર મુજબની કુરઆનની આયત પઢી જે
સાબિત કરે છે કે તેણે જુઠ્ઠી અને ઘડી કાઢેલી હદીસ બયાન કરી હતી કારણકે
જ્યારે કુરઆને મજીદની આ આયતોમાં વારીસનો શબ્દ છે તો પયગમ્બર સ.અ.વ. ઉપર
મુજબની હદીસ બયાન ન કરે. ઉપરની કુરઆની આયતો જનાબે ફાતેમા સ.અ. એ બયાન કરી એ
સાબીત કરે છે કે વારીસ શબ્દ એ બધીજ વસ્તુઓ છે જે અલ્લાહના રસુલ સ.અ.વ. એ
વારસામાં છોડી છે.
આકા મહદી પુયા કહે છે:
આ કુરઆની આયતો એ પુરવાર કરે છે અલ્લાહના પયગમ્બર સ.અ.વ. ના વારસ હોય છે
અને તેઓ વારસો પણ છોડે છે. વારીસ શબ્દને ફકત જ્ઞાન અને ડહાપણ સાથે જોડવો તે
આ શબ્દના સીધા, સાચા અને સરળ મતલબથી અળગા થઇ જવું છે. જો વ્યકિતગત
વસ્તુઓને વારસામાં વારસામાંથી અલગ કરી નાખવામાં આવે તો નું ફરી ઉચ્ચારણ
અર્થહીન છે કારણકે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. પોતે આલે યઅકુબના વારસ હતા
જેઓને પયગમ્બરી અને ડહાપણ પુર્વજોથી વારસામાં મળ્યા અને તેમની અવલાદ માટે
પણ એમજ થાત જો અલ્લાહ ચાહત. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના ખલીફા બનાવે
છે સુરએ અન્આમ-૧૨૪. આ કારણે જ્યારે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. એ કહ્યું: મને
વારસ બનાવ અને યઅકુબની નસ્લમાંથી વારસ બનાવ. તેઓ પોતાના અને નસ્લે યઅકુબના
વારસાની વાત અલગ અલગ કરે છે. પહેલું વર્બ તેઓની મિલ્કતની વારસાઈ માટે છે
કે જે અગર પયગમ્બર ઝકરીયા અ.સ. ને અવલાદ ન થાય તો તેમના સગાવ્હાલાઓને માટે
યોગ્ય છે. જ્યારે બીજો વર્બ પયગમ્બરી માટે છે જે તેઓ હઝરત યહ્યા અ.સ. માટે
માંગણી કરતા હતા.
એમાં કોઈ શક નથી કે પયગમ્બરે અકરમ સ.અ.વ. એ દુન્યવી માલને કોઈ મહ_વ ન
આપ્યું હતું અને જ્ઞાન તથા ડહાપણ ઉપર ભાર મુકયો હતો પણ તેનો મતલબ એ નથી કે
તેઓ પાસે મિલ્કત ન હતી કે તેઓ પોતાના વારસો માટે કંઇ છોડીને ન જતા. જનાબે
ફાતેમા સ.અ. ને કાયદેસરના વારસાથી અળગા રાખવા માટે મોટી હદીસ રાજકીય
કારણોસર ઘડવામાં આવી હતી. તેણે આ વાકય કે તેઓ જ્ઞાનને વારસો માટે છોડી જાય
છે તે મિટાવી ઉપર મુજબનું વાકય ઉમેરવું જે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે.
જ્યાં સુધી કે વાકયનું મુખ્ય ખંડ એ વાકયના ઉદ્દેશ કલમને ગોણ ન બનાવતું હોય
અમે પયગમ્બરોનો સમુહ અને આ શબ્દ સદકાતૈન જે ક્રિયાપદ તરકનાહોનો બીજો પદાર્થ
છે. પરંતુ તેણે આ વાકયાંશને સમન્વયી અને સંયોજક તરીકે ઉલ્લેખ કર્યો અને
સદકાતૈનને વિષયના ગુણાલક્ષણો નિર્દેશ કરતો શબ્દ મા કે જેનો અર્થ શબ્દ
ઉચ્ચારણની દ્રષ્ટિએ કોઈપણ જાતનું થાય છે જયારેકે સાચા ઉચ્ચારણમાં મા નો
અર્થ જે થાય છે.
(ધી હોલી કુરઆન, પૈયા / એમ.એ. અલા અંગ્રેજી કોમેન્ટરી)
Categories:
Gujarati - ગુજરાતી
Popular Posts (Last 30 Days)
-
This issue has been a matter of debate since times immemorial and it is this issue which in fact explains why the Shias bear enmity toward ...
-
Abdul Kareem Mushtaq - Hum Muta Kiyon Kerte Hain Here is an unbiased debate on 'Muta' from ARY Digital. The host is neutra...
-
Article Provided by : Br. Hesham Merchant The crowd left towards the house of Hazrat Ali (a.s.). The harbored the intention of burning dow...
-
How Tarawih came into being??!!! Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to A...
-
How Muawiyah ibn Abu Sufyan one of the staunchest enemies of Prophet Mohammad (P) and of Islam came to power? Muawiya was a staunch foll...
-
In this section we will be looking to cover: 1. Umar Burying His Daugther 2. Umar's Conversion to Islam 3. Umar Ibn Al-Khat...
-
Muslims praying Namaz with folded hands Keeping hands unfolded (while standing) is the natural posture, and those who follow it do not ne...
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.