• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

હ. ઉમર હ. અબુબકર પાસે આવ્યા અને કહ્યું : "શું બયઅત કરવાનો ઇન્કાર કરનારાઓ પાસેથી તમે બયઅત નહી લ્યો?

. ઉમર . અબુબકર પાસે આવ્યા અને કહ્યું : "શું બયઅત કરવાનો ઇન્કાર કરનારાઓ પાસેથી તમે બયઅત નહી લ્યો?૨૧ બધાએ આપની બયઅત કરી લીધી છે, ફક્ત એક માણસ અને તેના કુટુંબીઓએ - અને કેટલાંક થોડા માણસોએ બયઅત નથી કરી.૨૨
. સલમાનની રિવાયત મુજબ : "આપ અલીની પાસે બયઅત માટે કોઇને મોકલો, જ્યાં સુધી તે બયઅત કરે ત્યાં સુધી આપણી કોઇ હૈસીયત નથી, ભલે આખી ઉમ્મત બયઅત કરી લે.૨૩
એક બીજી રિવાયત મુજબ : "તારા હાથમાં કંઇ નથી જ્યાં સુધી અલી તારી બયઅત કરે. કોઇકને તેની પાસે મોકલે કે બયઅત કરે. બાકી બધા તો ઉતરતી કક્ષાના લોકો છે.
. અબુબકરે કુનફૂઝને મોકલ્યો અને કહ્યું : અલીને જઇને કહો, તમને ખલીફએ રસુલે બોલાવ્યા છે. કુનફૂઝ ગયો અને થોડીવારમાં પાછો ફર્યો અને હઝરત અલી (..) ના શબ્દો સંભળાવ્યા.
"રસુલ (...) મારા સિવાય કોઇ બીજાને ખલીફો નથી બનાવ્યો.૨૪ તમે કેટલું જલ્દી રસુલ (...) ના નામે જુઠ બોલવાનું શરૂ કરી નાખ્યું૨૫
ઇબ્ને અબ્બાસી રિવાયત મુજબ શબ્દો છે : "તમે લોકોએ કેટલું જલ્દી રસુલ (...) ના નામે જુઠ બોલો છો, કેટલાં જલ્દી મુરતદ થઇ ગયા! ખુદાના સોગંદ, રસુલ (...) મારા સિવાય કોઇ બીજાને ખલીફા નથી બનાવ્યો. કુનફુઝ, તમે તો એક સંદેશવાહક છો, તમે જઇને કહી દયો, ખુદાના સોગંદ, તમને રસુલે ખુદાએ ખલીફા નથી બનાવ્યા. તમે સારી રીતે જાણો છો કે રસુલે ખુદા (...) નો જાનશીન કોણ છે. કુનફુઝે સંદેશો . અબુબકરને પહોંચાડી દીધો. સાંભળી . અબુબકર બોલ્યા : અલીએ સાચું કહ્યું, રસુલે ખુદા (...) મને ખલીફા નથી બનાવ્યો.૨૬
એક બીજી રિવાયત મુજબ છે : "જ્યારે કુનફુઝે જનાબે ફાતેમા (સલા.) ને કહ્યું, મને ખલીફાએ રસુલ અબુબકર બિન અબી કહાફાએ મોકલ્યો છે, આપ અલીને કહો, તેમને ખલીફતુલ મુસ્લેમીને બોલાવ્યા છે. હઝરત અલી (..) કહ્યું, તમે એમને કહી દયો, તમે કાલે સકીફએ બની સાએદામાં અન્સારને સંબોધન કર્યું હતું, વખત સુધી તમે (લકબ) ના દાવેદાર નહોતા. તમે તમારા દોસ્ત ઉમર અને ઉબૈદાને દાવત દઇ રહ્યા હતા, અને આજે તમે પોતે આના દાવેદાર થઇ ગયા! જનાબે ફાતેમાએ કુનફૂઝને જવાબ પહોંચાડી દીધો. કુનફૂઝ પાછો ફર્યો. . ઉમર તેને કહ્યું : તમે ફરીથી જાવ અને કહો, તમને ખલીફતુલ મુસ્લેમીન બોલાવ્યા છે. કુનફૂઝે ફરીથી હઝરત અલી (..) ને સંદેશો પહોંચાડ્યો. જવાબમાં હઝરત અલી (..) કહ્યું : ખલીફા બનાવવામાં આવ્યો હોય તે ખલીફા બનાવનાર ઉપર સત્તા નથી ચલાવી શકતો, તો તેની વાત ઉપર ધ્યાન આપી શકાય છે. તેની તાબેદારી કરી શકાય છે.૨૭
સાંભળીને . અબુબકર ઘણીવાર સુધી રડ્યા. ૨૮ . ઉમરને ઘણો ગુસ્સો આવ્યો, તે કુદવા માંડ્યા અને કહેવા લાગ્યા, શું આપ ઇન્કાર કરનાર પાસેથી બયઅત નહિ લ્યો?
. અબુબકરે કહ્યું : "બેસી જાવ. અને કુનફૂઝને કહ્યું : જાવ, અલી (..) ને કહો તમને અમીરૂલ મોઅમેનીન . અબુબકરે બોલાવ્યા છે.
જ્યારે કુનફુઝે હઝરત અલી (..) ને સંદેશો આપ્યો, ત્યારે આપે કહ્યું : ખુદાની કસમ જુઠ છે, પાછા જાવ અને તેને કહો કે તમારો જે હોદ્દો નથી તેને પોતાના ના સાથે જોડો છો?! તમે સારી રીતે જાણો છો કે અમીરૂલ મોઅમેનીન કોઇ બીજું છે.
કુનફુઝે જઇને બન્નેને જવાબ પહોંચાડી દીધો.૨૯
જનાબે સલમાનની રિવાયતમાં શબ્દો છે : "સુબ્હાનલ્લાહ! હજુ તો વધારે દિવસો નથી થયા ત્યાં તમે લોકોએ બધું ભૂલવાડી દીધું! ખુદાના સોગંદ, તમો ઘણી સારી રીતે જાણો છો કે લકબ મારા સિવાય કોઇ અન્યને શોભતો નથી. ખરેખર રસુલે ખુદા (...) તેઓને હુકમ કર્યો હતો, અને સાતમા માણસ હતા જેમણે મને અમીરૂલ મોઅમેનીન કહીને સલામ કરી હતી. સાત જણામાંથી તેઓએ અને તેમના દોસ્તે સવાલ પણ કર્યો હતો કે શું ખુદા અને રસુલનો હુકમ છે? જવાબમાં રસુલ (...) કહ્યું હતું, હા ચોક્કસ ખુદા અને તેના રસુલ તરફથી છે, તે અમીરૂલ મોઅમેનીન છે. - સય્યદુલ મુસ્લેમીન છે. ચમકતા - તેજવંત કપાળવાળાઓના આગેવાન છે. કયામતના દિવસે ખુદા તેમને સેરાત ઉપર બેસાડશે, તેઓ પોતાના દોસ્તોને જન્નતમાં અને દુશ્મનોને જહન્નમમાં દાખલ કરશે.૩૦
સાંભળીને . ઉમર ગુસ્સામાં આવી કુદવા માંડ્યા અને બોલ્યા : ખુદાના સોગંદ, હું એમની કમ અકલી (ટુંકી બુદ્ધિ) થી માહિતગાર છું. તેમની નબળી સલાહ જાણું છું. તેઓને જ્યાં સુધી હું કતલ નહી કરૂં ત્યાં સુધી સીધા નહિ થાય. મને રજા આપો હું એમનું માથું કાપીને તમારી પાસે લઇ આવું. ત્યારે . અબુબકરે કહ્યું : બેસી જાવ, તેમણે ઇન્કાર કર્યો. . અબુબકરે કસમ આપીને બેસાડ્યા. પછી કુનફૂઝને કહ્યું : જાવ જઇને કહો કે તમને અબુબકરે બોલાવ્યા છે. કુનફૂઝે જઇને સંદેશો આપ્યો, અલી! આપને અબુબકરે બોલાવ્યા છે. જવાબ મળ્યો : મને મારા દોસ્ત - મારા ભાઇએ જે વસીય્યત કરી છે તે કામમાં મશ્ગુલ છું. તમે અબુબકર અને જેણે પોતાની આસપાસ ઝુલ્મ-અન્યાયને એકઠા કર્યા છે તેની પાસ જાવ.૩૧
એક બીજી રિવાયત પ્રમાણે છે : . અબુબકરે કહ્યું, તેમની પાસે ફરીથી જાવ અને કહી દયો કે ચાલો, લોકોએ બયઅત કરી લીધી છે, મુહાજિર-અન્સાર અને કુરૈશ બયઅત કરી લીધી છે. તમે પણ એક મુસલમાન છો, જે જવાબદારી તેઓ ઉપર છે તે આપના ઉપર પણ છે.
કુનફૂઝ સંદેશો લઇને ગયો અને તરતજ પાછો ફર્યો અને હઝરત અલી (..) નો ઉત્તર કહી સંભળાવ્યો કે, . રસુલે ખુદા (...) મને વસીય્યત કરી છે કે, મને દફન કર્યા પછી, જ્યાં સુધી કુરઆન એકત્ર કરી લઉં ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળું અત્યારે તો તે ખજૂરના પાન અને ઊંટની ખાલ ઉપર લખાયેલું છે.૩૨
રિવાયતોથી જાણવા મળે છે કે બીજો હુમલો જાતના સંદેશાની આપ લે પછી થયો હતો, પણ સુલૈમે સલમાનથી કરેલ રિવાયત મુજબ સ્પષ્ટ થાય છે કે હુમલો કુરઆન રજુ કર્યા પછી થયો હતો.
હઝરત અલી (..) કહેવડાવી દીધું કે હું નમાઝ સિવાય ખભા ઉપર અબા નહીં ઓઢું, જ્યાં સુધી કે કુરઆન એકત્ર કરી લઉં.
ત્યાર પછી લોકો કેટલાંક દિવસો ચુપ રહ્યા. જ્યારે હઝરત અલી (..) કુરઆન એક કપડામાં સંપૂર્ણ રીતે એકત્ર કરી લીધું, તેના ઉપર મોહર (સિક્કો) લગાડી અને પછી તે લઇને લોકો વચ્ચે આવ્યા. મસ્જીદે નબવીમાં લોકો એકઠા થયેલા, તેઓને સંબોધીને મોટા અવાજે કહ્યું:
"હે લોકો! . રસુલે ખુદા (...) ના ઇન્તેકાલ પછી, હું તેમને ગુસ્લ-કફન દેવામાં અને કુરઆન એકત્ર કરવામાં ગુથાએલો હતો. હવે મેં કુરઆન એકત્ર કરી લીધું છે. જે કપડામાં છે. ખુદાએ પોતાના રસુલ ઉપર નાઝિલ કરેલી કોઇ એવી આયત નથી કે જે આમાં મેં એકઠી કરી હોય. કોઇ પણ એવી આયત નથી કે જે મને રસુલે ખુદા (...) પઢાવી હોય, અથવા જેની તાવલી મને બતાવી હોય. આગળ જતાં મવલા અલી (..) કહ્યું : જેથી તમે કાલે એમ કહો કે અમે જાણતા નહોતા કયામતના દિવસે કહો કે મેં તમને મદદ માટે નહોતા બોલાવ્યા. અને મેં મારા હક - અધિકારની યાદ નહોતી અપાવી, તમને અલ્લાહની કિતાબની શરૂઆતથી અંત સુધી દાવત નહોતી આપી.
સાંભળી . ઉમરે કહ્યું : "આપ જેના તરફ અમને દાવત આપી રહ્યા છો - બોલાવી રહ્યા છો તેના કરતાં અમારી પાસે જે કુરઆન છે, તે કાફી છે - પુરતું છે.
સાંભળી હઝરત અલી (..) પોતાના ઘરે ચાલ્યા ગયા.૩૩ ત્યાર પછી સુલૈમે ઉપરોક્ત સંદેશાની આપ - લે નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે તેઓ કેટલાંક દિવસો સુધી ચુપ રહ્યાં.


૨૧.
અલ - ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯
૨૨.
સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯
૨૩.
સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨
૨૪.
તફસીરે અયાશી જી. , પાના નં. ૬૬-૬૭, અલ - ઇખ્તેસાસ, પાના નં. ૧૮૫-૧૮૬
૨૫.
અલ ઇમામત વસ - સિયાસત ભાગ - , પાના નં. ૧૯
૨૬.
સુલૈમ બિન કૈસ પાાનં.૨૪૯, બેહારૂલ અન્વાર, જી., પા.નં. ૨૯૭
૨૭.
અલ - કશ્કોલ સય્યદ હયદર આમેલી - પાના નં. ૮૩-૮૪
૨૮.
અલ - ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯
૨૯.
સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯, બેહારૂલ અન્વાર જી. ૨૮, પાના નં. ૨૯૭
૩૦.
સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨
૩૧.
સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯, બેહાર જી. ૨૮ પાના નં. ૨૯૭
૩૨.
તફસીરે અયાશી જી.,પા. નં.૬૬-૬૭, અલ ઇખ્તેસાસ પા.નં.૧૮૬
૩૩.
સુલૈમ બિન કૈસ પાના નં. ૮૧-૮૨, બેહાર, જી. ૨૮ પાના નં. ૩૦૭ માં મસ્ઉદીની કિતાબ અસ્બાતુલ વસિય્યત અને જી. ૯૨, પાના નં. ૫૨ માં મનાકિબના હવાલાથી લેવામાં આવેલ છે

 http://mazloomazehra.blogspot.com

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers