• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

જનાબે ફાતેમા (સલા.) ની દફનક્રિયા અને હઝરત અલી (અ.સ.) નું રડવું

જનાબે ફાતેમા (સલા.) ની દફનક્રિયા અને હઝરત અલી (અ.સ.) નું રડવું



હઝરત અલી (..) સારવાર કરતા રહ્યા અને ખાનગી રીતે અસમા બિન્તે ઉમૈસની મદદ લેતા રહ્યા. એટલે સુધી કે જનાબે ફાતેમા (સલા.) ની વફાતનો સમય નજીક આવી ગયો. આપે હઝરત અલી (..) ને વસીય્યત કરી : તેઓ પોતે તેમને ગુસ્લ આપે, રાતના સમયે દફન કરવામાં આવે, કબરનું નિશાન ભૂંસી નાખવામાં આવે;૨૨૦ ગુસ્લ - કફન અને દફન, નમાઝ જનાઝામાં બન્ને અને તેમના સાથીઓ આવે નહિ.૨૨૧
આપે ગુસ્લ કરીને નવા કપડાં પહેર્યા અને કહ્યું કપડાં ઉતરજો નહિ. ૨૨૨ કેટલીક રિવાયતમાં છે કે મારા હાથને ખોલજો નહિ.૨૨૩ કદાચ આપની ઇચ્છા હતી કે આપને કપડાં ઉપરથી ગુસ્લ દેવામાં આવે. જેથી હઝરત અલી (..) મારના નિશાન જુએ નહિ. પરંતુ જ્યારે હઝરત અલી (..) ગુસ્લ આપી રહ્યા હતા. ત્યારે ઘણા મોટા અવાજે રડી પડ્યા. એમના ગાલ આંસુઓથી ભીના થઇ ગયા. જ્યારે લોકોએ કારણ પુછ્યું ત્યારે ફરમાવ્યું : એમના શરીર ઉપર કોરડા અને મારના નિશાન હતા.૨૨૪
મિકદાદનું કથન છે કે, જ્યારે દુખ્તરે રસુલ (...) નો ઇન્તેકાલ થયો ત્યારે એમની પીઠ અને પેટ ઉપરથી લોહીવહી રહ્યું હતું. બધો તલવાર અને કોરડાના મારનો અસર હતો.૨૨૫
હઝરત અલી (..) રાતના સમયે નમાઝે જનાઝા પડી.૨૨૬ બની હાશિમ અને કેટલાંક ખાસ માણસોએ એમાં હાજરી આપી.૨૨૭ આમાં ઇમામ હસન (..) અને ઇમામ હુસૈન (..), અકીલ,અબ્દુલ્લાહ બિન જાફર, સલમાન, અબુઝર, મિકદાદ, અમ્માર, હુઝૈફા, બુરૈદા, અબ્બાસ અને તેમના બે પુત્રો ફઝલ - અબ્દુલ્લાહ, અબ્દુલ્લાહ બિન મસ્ઉદ, ઓસમા, ઝુબૈર, હઝરત અલી (..) ની કેટલીક દીકરીઓ અને બની હાશિમની કેટલીક સ્ત્રીઓ હતી.૨૨૮
હઝરત અલી (..) દફન કર્યાં પછી કબરનું નિશાન ભૂંસી નાખ્યું. જ્યારે કબરની માટી હાથ ઉપરથી ખંખેરી ત્યારે રૂદનનો પ્રવાહ એટલા જોરથી ચાલુ થયો કે બન્ને ગાલ આંસુઓથી ભીંજાઇ ગયા. રસુલે ખુદા (...) ની કબર તરફ જોઇને ફરમાવ્યું :
....હે અલ્લાહના રસુલ! આપ ઉપર, આપની પુત્રી - આપની વ્હાલી-આપની આંખોની ઠંડક - આપની ઝ્યિારત કરનારી - બકીઅમાં (આપના ઓરડામાં) જમીન નીચે સુનારી તરફથી સલામ હજો.
....ખુદાએ એને આપની સાથે બહુ જલ્દી મેળવી દીધી. . અલ્લાહના રસુલ! આપની દીકરીની જુદાઇથી મારૂં ધૈર્ય ઓછું થઇ ગયું. સ્ત્રીઓની સરદારની વિદાયથી મારી સહનશક્તિ ઘટી ગઇ છે. આપની સુન્નત અમલ માટેનો નમૂનો છે. આપની જુદાઇનો સદમો દિલાસા માટે મૌજુદ છે. મેં આપને કબરમાં ઉતાર્યા હતા, મેં આપની આંખો બંધ કરી હતી. મેં આપને ગુસ્લ-કફન આપ્યા હતા.
... અલ્લાહની કિતાબમાં દિલાસો છે. ઇન્ના લિલ્લાહે ઇન્ના એલયહે રાજેઉન...૨૨૯
...અમાનત પાછી લઇ લીધી. સાન (ગીરવી) મુકેલી વસ્તુ પાછી માગી લીધી.
... ઝહરા ચાલી ગઇ, હવે દુન્યા કેવી આકરી થઇ ગઇ.
...હે અલ્લાહના રસુલ! મારો ગમ હંમેશા રહેશે, રાત જાગીને વીતાવીશ. દિલમાંથી ગમ ઓછો નહિ થાય, એટલે સુધી કે ખુદા મને પણ જગાએ બોલાવી લે, જ્યાં અત્યારે આપ છો. ઝખમ હંમેશા તાજો રહેશે. ખુદાએ અમને કેટલા જલ્દી એકબીજાથી જુદા કરી નાખ્યા.
..... ખુદાવન્દા! તારી બારગાહમાં ફરિયાદ છે.
..... અલ્લાહના રસુલ! આપની પુત્રી દુ:ખો અને ઝુલ્મોનું વર્ણન કરશે, જે ઉમ્મતે એમના ઉપર નાખ્યા છે અને કેવી રીતે તેમના હકને ગસ્બ કર્યો છે.
...... તમે પોતે એમને બધું પુછજો.
...... એનું હૈયું દુ: અને ગમથી કેટલું ભરેલું છે, તે બયાન કરી શકતો નથી, તે આપને બયાન કરશે.
..... યહકોમલ્લાહો હોવ ખયરૂલ હાકેમીન ... અલ્લાહ ફેસલો કરશે, તે સર્વોત્તમ ફેસલો કરનાર છે.૨૩૦
.... હે અલ્લાહના રસુલ! આપ ઉપર સલામ થાય, અલ - વિદાઇ સલામ. તો સલામ કરવાથી થાક્યો છું, તો વાત પુરી થઇ છે.
.... હું પાછો ફરી રહ્યો છું, તો કાંઇ ઠપકાના કારણે નહિ, અને જો રોકાઇ રહ્યો છું તો ખુદાના વાયદા ઉપર કોઇ શંકાના કારણે નહિ, જે વાયદો એણે સબર કરનારાઓ સાથે કર્યો છે.
.....આહ ....આહ....સબર.... બહેતર છે. જો બળપૂર્વક હુકુમત મેળવનારઓનું જોર વધારે હોત, તો હું આપની કબર પાસે રહેત, અહિંયા બેસી રહેત અને એવું રૂદન કરતે, જેવું જવાન પુત્રના ગમમાં તેની મા કરે છે.
..... ખુદાની સામે આપની પુત્રી છુપી રીતે દફન કરી દેવાઇ. એના હકને બળજબરીથી ગસ્બ કરી લેવામાં આવ્યો. ખુલ્લેઆમ તેને તેના વારસાથી વંચિત કરી દેવામાં આવી. હજુ તો વચન - કરાર કર્યાને વખત પણ નહોતો થયો, આપની યાદ જુની પણ નહોતી થઇ!
.... અલ્લાહના રસુલ! આપની બારગાહમાં ફરિયાદ છે. આપની સીરત સર્વોત્તમ દિલાસો છે.
.... અલ્લાહના દુરૂદો - સલામ ફાતેમા પર અને આપ પર હોજો.
રહમતુલ્લાહે બરકાતોહું૨૩૧


રેફરેન્સ – હવાલાઓ – સંદર્ભો

.           અસ્બાતુલ વસિય્યહ પાના નં. ૧૫૪-૧૫૫
.           તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, તારીખે યઅકુબી જી. , પાના નં. ૧૨૬ અને નહજુલ હક પાના નં. ૨૭૧
.           અકદુલ ફરીદ જી. , પાના નં. ૨૫૯
.          તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨ ઉપરાંત બીજા ઇતિહાસકારોએ પણ લખ્યું છે.
.          શર્હે નહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
.          તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, કામિલ ઇબ્ને અસીર, જી. , પાના નં. ૩૨૫, ઉપરાંત ચારેય જણનો ઉલ્લેખ સીરતે હલબીયા જી., પાના નં. ૩૬૦ ઉપર પણ છે.
.          શર્હે નહજુલ બલાગાહ, જી. , પાના નં. ૫૨
.          રિયાઝુન - નઝરહ, જી. , પાના નં. ૨૪૧, તારીખે ખમીસ, જી. , પાના નં. ૧૬૯
.          અલ - હમલ, પા. ૧૧૭
૧૦.         શર્હે નહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
૧૧.         શર્હે નહજુલ બલાગાહ જી.૧૫, પાના નં. ૧૮૬
૧૨.         હું (લેખક) કહું છું, ઝુબૈરનું તલવાર ખેંચીને નીકળવું, બીજા હુમલાનો પ્રસંગ છે, જે ત્રીજા હુમલા પહેલાનો (થોડા મતભેદ સાથે) છે. ઝુબૈરે મજબુર થઇને બયઅત કરી લીધી હતી. જુઓ : તારીખે તબરી જી. , પાના ૨૦૩, કામિલ ઇબ્ને અસીર જી. , પા.નં. ૩૨૫, શર્હે નહજુલ બલાગાહ જી., પાના નં. ૪૫,૫૦,૫૬ જી. પા. નં.૪૭,૪૮, અલ-મસ્તર શિદ પા.નં.૩૭૮, પણ પહેલા હુમલામાં ઇતિહાસકારોએ સ્પષ્ટતા કરી છે કે અમીરૂલ મોઅમેનીન (..) બયઅત નથી કરી. બલ્કે . ઉમરના જવાબમાં આપે ફરમાવ્યું હતું, ખુદાના સોગંદ હું તમારી વાત સ્વિકારીશ નહીં, હું અબુબકરની બયઅત નથી કરી શકતોે. બીજી રિવાયતોમાં પણ છે કે વખતે અમીરૂલ મોઅમેનીન (..) નો  જવાબ સાંભળીને લોકો ચુપ થઇ ગયા. માટે પહેલા હુમલા વિશેની રિવાયતો જે કિતાબમાં લખાઇ છે તેના તરફ રજુ થવું જોઇએ. જેમ કે અલ - ઇઝાઅ પા.નં.૩૬૭, અલ મુસ્તર શિદ પા.નં.૩૮૧ વાતનો સાર છે કે ઝુબૈરનું નીકળવું અને પોતાની તલવાર મ્યાનમાંથી ખેંચવી, એક વહેમ-ભ્રમ છે, જે રાવીઓને થયો છે. અને પહેલો અને બીજા હુમલાની વાતને ભેળસેળ કરી દેવાથી આમ થયું છે.
૧૩.         ઇબ્ને અબીલ હદીદે બની હાશિમની બયઅતનો ઝિક્ર નથી કર્યો કે તેઓએ વખતે . અબુબકરની બયઅત કરી હોય. બલ્કે ઈતિહાસકારોએ જે લખ્યું છે કે અમીરૂલ મોઅમેનીન (..) અને બધા બની હાશિમે ફાતેમા ઝહરા (સલા.) ની જીંદગીમાં . અબુબકરની બયઅત નથી કરી. ઇબ્ને અબીલ હદીદના કથનનું સમર્થન અગાઉનું વાક્ય કરી રહ્યું છે.
૧૪.         ઇબ્ને કુતયબા અને ઇબ્ને અબીલ હદીદે વાત રીતે કરી છે: લોકો આપની કૌમના વડીલો છે, તેઓના જેવો આપને અનુભવ પણ નથી, અને પ્રશ્ર્નોની જાણકારી છે. શબ્દોમાં પાર્ટી (પક્ષીય) હુકુમત તરફ ઇશારો છે, કરે . અબુબકર તરફ વિચાર કરો.
૧૫.         મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૯
૧૬.         એહતેજાજે તબ્રસી, પાના નં. ૭૩-૭૫; બેહારૂલ અન્વાર, ભાગ - ૨૮, પાના નં. ૧૮૩-૧૮૮, અલ ઇમામત - સિયાસત જી. , પાના નં. ૧૮-૧૯; મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૮-૧૩૯; શર્હે નેહજુલ બલાગાહ, જી. , પાના નં. ૧૧-૧૨; કિતાબ અલ ઇમામત વસ - સિયાસત અને શર્હે નહજુલ બલાગાહમાં જ્યાં કાઢી નાખવામાં આવ્યું છે ત્યા અમે કૌંસ કરીને નિશાની કરી દીધી છે. વિચાર કરશો તો સમજાશે કે વાતો અમીરૂલ મોઅમેનીન (..) ની ઇમામત અને વિસાયત ઉપર નસ્સ હતી, પણ લોકોએ . અલી (..) કૌલ માટે શું કર્યું કે તમે લોકોએ અમો એહલેબયત (..) પાસેથી અમારો હક છીનવી લીધો. અને હઝરતનું કહેવું કે લોકોએ ઝુલ્મ કર્યો અને તમને ખબર હતી. વાકેદીએ પોતાની કિતાબ અલ - અદ્દહ, પાના નં. ૪૬-૪૭ ઉપર કેટલીક એવી વાતો લખી છે જે પ્રસંગે બની હતી. અલ ફતૂહ અહમદ બિન અઅસમે કૂફી, જી. , પાના નં. ૧૩-૧૪, રૌઝતુલ - સફા, જી. , પાના નં.પ૯૫ - ૫૯૭, હબીબુલ - સિયર, જી. , પાના નં. ૪૪૭, અલ - મુસ્તરશિદ, પાના નં. ૩૭૪-૩૭૬, અનવારૂલ યકીન - લેખક હુસૈન ઝૈદી, પાના નં. ૩૮૦, શફાઅ સોદુરૂન્નાસ, પાના નં. ૪૭૮-૪૭૯, અત-તારીખુસ - સિયાસી વલ ખસારી - લેખક સય્યદ અબ્દુલ અઝીઝ સાલિમ, પાના નં. ૧૭૭, તારીખુલ દવલતુલ અરબીય્યહ, પાના નં. ૧૬૧, દાએરતુલ મઆરિફ, (લેખક મોહમ્મદ ફરીદ વજદી), જી. , પાના નં. ૭૫૮-૭૫૯.
૧૭.         જેમ કે બન્ને ફિરકાઓની રિવાયતોમાં છે કે પયગમ્બરે ઇસ્લામ (...) બુધની રાત્રે દફન થયા. માટે એમાં શંકા નથી બુધવારનો દિવસ કુરઆને એકત્ર કરવાની શરૂઆતનો પ્રથમ દિન હતો. તો આરભ હતો, પણ ક્યારે કામથી પરવાર્યા (કેટલા દિવસે કામ પુરૂં થયું?) ફુરાત કુફીની રિવાયત - જે ઇમામ મોહમ્મદ બાકીર (..)થી નકલ થઇ છે અને જેનો ઉલ્લેખ ઇબ્ને નદીમે પોતાની સૂચિ (રહેરિસ્ત)માં કર્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, હઝરત ત્રણ દિવસમાં કુરઆન એકત્ર કરવાના કામથી પરવાર્યા હતા. જુઓ તફસીરે ફુરાત કુફી, પાના નં. ૩૯૮-૩૯૯, બેહાર, જી. ૨૩, પાના નં. ૨૪૯, અલ ફહરિસ્ત પાના નં. ૩૦, પરંતુ કેટલીક રિવાયતોમાં . ઇમામ મોહમ્મદે બાકીર (..) પોતાના બાપ-દાદાઓાથી રિવાયત કરી છે કે અમીરૂલ મોઅમેનીન (..) રસુલે ખુદા (...) ની વફાત પછી સાતમા દિવસે એક ખુત્બો (ખુત્બએ વસીલા) આપ્યો. કેટલાંક છે કે નવમા દિવસ પછી ખુત્બો આપ્યો. ખુત્બો હઝરતે કુરઆન એકત્ર કરવાના કામથી પરવાર્યા પછી આપ્યો હતો. અલ - કાફી, જી. , પાના નં. ૧૭; અત્તવહીદ પાના નં. ૭૩, અમાલી સદુક પાના નં. ૩૨૦, અમાલી શૈખ જી. , પાના નં. ૨૬૩, બેહારૂલ અન્વાર, જી. , પાના નં. ૧૨૨, જી. ૭૭, પાના નં. ૩૮૨.
૧૮.         શર્હે નહજુલ બલાગાહ, જી.,પાના નં. ૫૦ જી.,પાના નં. ૪૬
૧૯.         અલ - મુસાન્નિફ ઇબ્ને અબી શીબા જી. ૧૪, પાના નં. ૨૬૭
૨૦.         અલ જવાબ અલ હાસિમ - લેખક કાઝીમ અસદાબાદી - જી. ૨૦ કિસ્મ જી. પાના નં. ૨૯૯
૨૧.         અલ - ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯
૨૨.         સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯
૨૩.         સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨
૨૪.         તફસીરે અયાશી જી. , પાના નં. ૬૬-૬૭, અલ - ઇખ્તેસાસ, પાના નં. ૧૮૫-૧૮૬
૨૫.         અલ ઇમામત વસ - સિયાસત ભાગ - , પાના નં. ૧૯
૨૬.         સુલૈમ બિન કૈસ પાાનં.૨૪૯, બેહારૂલ અન્વાર, જી., પા.નં. ૨૯૭
૨૭.         અલ - કશ્કોલ સય્યદ હયદર આમેલી - પાના નં. ૮૩-૮૪
૨૮.         અલ - ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯
૨૯.         સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯, બેહારૂલ અન્વાર જી. ૨૮, પાના નં. ૨૯૭
૩૦.         સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨
૩૧.         સુલૈમ બિન કૈસ પાના નં. ૨૪૯, બેહાર જી. ૨૮ પાના નં. ૨૯૭
૩૨.         તફસીરે અયાશી જી.,પા. નં.૬૬-૬૭, અલ ઇખ્તેસાસ પા.નં.૧૮૬
૩૩.         સુલૈમ બિન કૈસ પાના નં. ૮૧-૮૨, બેહાર, જી. ૨૮ પાના નં. ૩૦૭ માં મસ્ઉદીની કિતાબ અસ્બાતુલ વસિય્યત અને જી. ૯૨, પાના નં. ૫૨ માં મનાકિબના હવાલાથી લેવામાં આવેલ છે.
૩૪.         સુલૈમ બિન કૈસ, પા.નં.૮૧-૮૩, બેહાર જી. ૨૮ પા.નં.૨૬૪-૨૬૮
૩૫.         અલ - ઇમામત વસ - સિયાસત, પાના નં. ૧૯
૩૬.         અલ - એહતેજાજ પાના નં. ૮૦
૩૭.         અલ ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯ (સેવક કહે છે.) અલ્લામા તબ્રસીએ ટુકડાને અબ્દુલ્લાહ બિન અબ્દુર્રહમાન (જેના હવાલાથી ઇબ્ને કુતયબાએ રિવાયત કરી છે.) રીતે નોંધ્યું છે : જ્યારે ઉમરને જાણ થઇ ગઇ કે લોકો બયઅત નહિ કરે, ત્યારે કહ્યું : મને તમારી જરાય પરવા નથી. હું એમજ કરીશ. (એટલે ઘરને આગ લગાડી દઇશ.) એટલા માટે કે મેં ડરાવવાનો ઇરાદો કરી નાખ્યો છે. અલ એહતેજાજ પા. ૮૦બેહાર, જી. ૨૮, પાના નં. ૨૦૪, આમાં ફેરફાર થયેલો હોવામાં જરાય શક નથી, એટલા માટે કે તે કેવી રીતે શક્ય છે કે એક સુન્ની એમ કહે કે . ઉમરે કહ્યું : ભલે ઘરમાં ફાતેમા (સલા.) હોય. અને શીયા રીતે રિવાયત કરે છે ? હા, સંભવિત છે કે રાવી તકય્યામાં હોય અને તેનામાં એટલી હિમ્મત હોય કે જે રીતે રિવાયત છે તે રીતે બયાન કરે.
૩૮.         મસલિબુન - નવાસિબ, પાના નં. ૧૩૬-૧૩૭, અર્રસાએલુલ એઅતેકાદીયા, ભાગ - , પાના નં. ૪૪૭
૩૯.         તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨
૪૦.        તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, અલ - કામિલ ઇબ્ને અસીર જી. , પાના નં. ૩૨૫
૪૧.         અલ - ઇખ્તેસાસ, પાના નં. ૧૮૬
૪૨.         મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૬-૧૩૭, અર્રસાએલુલ એઅતેકાદીયા જી. , પાના નં. ૪૪૭ - ૪૪૮
૪૩.         અમાલી શૈખ મુફીદ પાના નં. ૪૯-૫૦
૪૪.        મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૬-૧૩૭; અર્રસાએલુલ એઅતેકાદીયા જી. પાના નં. ૪૪૭-૪૪૮
૪૫.        તારીખે તબરી, જી. પાના નં. ૨૦૨
૪૬.         બેહારૂલ અન્વાર, જી. ૩૦, પાના નં. ૨૯૧
૪૭.        અહિં કદાચ શાહ અબ્દુલ્લાહ બિન અબી રબીઆ મુરાદ છે. તસ્બીતુલ ઇમામત પાના નં. ૧૭ જુઓ.
૪૮.         શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
૪૯.         તારીખે તબરી જી., પા.નં.૨૦૩, અલ કામિલ જી., પા.નં. ૩૨૫
પ૦.        શર્હે નહજુલ બલાગાહ, જી., પાના નં.૫૬, જી., પાના નં. ૪૮
૫૧.         અલ મુસ્તર શિદ પાના નં. ૩૭૮
૫૨.         શર્હે નેહજુલ બલાગાહ, જી. પાના નં. ૪૮
૫૩.         શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૪૮
પ૪.        બીજા હુમલા વખતે અહલેબયત (..) સિવાયના જેટલા માણસો ઘરમાં હતા તે બહાર આવી ગયા. અને તે લોકોએ વખત સુધી બયઅત નહોતી કરી જુઓ અલ - કાફી, જી. , પાના નં ૨૪૫, રેજાલુલ કશી જી. પાના નં. ૨૬ તફસીરે અયાશી જી. પાના નં. ૧૯૯, બેહારૂલ અન્વાર, જી. ૨૨ પાના નં. ૩૩૩,૩૫૧
૫૫.        અલ - ઇમામત વસ - સિયાસત જી. , પાના નં. ૧૯
૫૬.        એહતેજાજ પાના નં. ૮૦, બેહારૂલ અન્વાર, જી.૨૮, પા. નં. ૨૦૪
૫૭.        સુલૈમ બિન કૈસ, પાના નં. ૮૩
૫૮.        કવકાબે દુર્રી જી. પાના નં. ૧૯૪-૧૯૫
૫૯.        સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨
૬૦.         અલ - જમલ પાના નં. ૧૧૭
૬૧.         સુલૈમ બિન કૈસ પાના નં. ૮૩
૬૨.         સુલૈમ બિન કૈસ પાના નં. ૨૫૦
૬૩.         અનસાબુલ અશ્રાફ જી. , પાના નં. ૫૮૭-૫૮૮
૬૪.         અલ અકદુલ ફરીદ જી. , પાના નં. ૨૫૯, (મિસરમાં છપાયેલી)
૬૫.        અલ - યઅકુબી જી. , પાના નં. ૧૨૬ અલ - મુસ્તર શિદ પાના નં. ૩૭૭ - ૩૭૮
૬૬.         શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૪૯, અલ - એહતેજાજ પાના નં. ૮૦
૬૭.        અલ - કશ્કોલ પાના નં. ૮૩-૮૪
૬૮.         તારીખુલખમીસ જી. , પાના નં. ૧૬૯
૬૯.         ઇલ્મુલ યકીન જી. , પાના નં. ૬૮૬
૭૦.        ઉપર મુજબનો સંદર્ભ   મોઅતમરે ઓલમાએ બગદાદ, પાના નં. ૬૩, કામિલ બહાઇ જી. પાના નં. ૩૦૫ હદીકતુશ - શીઆ પાના નં. ૩૦
૭૧.         મિસ્બાહુઝ - ઝાએર પાના નં. ૪૬૩-૪૬૪
૭૨.         જન્નાતુલ ખોલુદ પાના નં. ૧૯
૭૩.         બધાય ઇતિહાસકારો એકમત છે કે આમાં ઉમર બિન ખત્તાબ હતા.
૭૪.        તફસીરે અયાશી જી. , પાના નં. ૬૬, શર્હે નેહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૭, જી. પાના નં. ૪૮ મોઅતમરે ઓલમાએ બગદાદ પા. ૬૩, અલ ઇખ્તેસાસ પાના નં. ૧૮૬, સુલૈમ બિન કૈસ પાના નં. ૨૫૧ કામિલ બહાઇ જી. , પાના નં. ૩૦૫ અલ - કશ્કોલ પાના નં. ૮૩-૮૪, અલ હિદાતુલ કુબરા, પાના નં. ૧૭૮-૧૭૯, બેહારૂલ અન્વાર, જી. ૩૦, પાના નં. ૨૯૦,૩૪૮, જી. ૫૩ પાના નં. ૧૩



http://mazloomazehra.blogspot.com 

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers