• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

હ. ઉમરે કહ્યું : લાએલાહ ઇલ્લલ્લાહના કસમ, તમારી ગરદન ઉડાવી દઇશ.

બયઅત માટે બળજબરી



લોકો હઝરત અલી (..) ને . અબુબકર પાસે લઇ ગયા અને સામે બેસાડ્યા૧૯૨ . ઉમર તેમના માથા ઉપર તલવાર લઇને ઉભા હતા. ખાલિદ બિન વલીદ, અબુ ઉબૈદા જર્રાહ, સાલિમ મવલા અબી હુઝૈફા, મઆઝ બિન જબલ, મુગીરા બિન શેઅબા, અસીદ બીન હઝીર, બશીર બિન સઅદ અને બીજાઓ હથિયારો લઇને ઘેરી વળ્યા હતા.
હઝરત અલી (..) ફરમાવ્યું : તમે લોકોએ પોતાના નબીની અહલેબયત (..) ઉપર કેટલો જલ્દી હુમલો કર્યો ! હે અબુબકર! ક્યા અધિકારની દ્રષ્ટિએ - ક્યા વારસાના આધારે - કઇ ફઝીલતના કારણે લોકો પાસે બયઅત કરાવી રહ્યા છો? શું તે રસુલે ખુદા (...) ના હુકમથી ખિલાફત અને હુકુમત માટે મારી બયઅત નહોતી કરી?૧૯૩
સાંભળી . ઉમર હઝરત અલી (..) ના સાથળ ઉપર ચડી ગયા અને તેમને જકડી લીધા.૧૯૪ અને હઝરત અલી (..) ને ઘક્કો મારીન બોલ્યા : બધી વાતો મૂકો અને બયઅત કરો.
હઝરત અલી (..) કહ્યું : જો બયઅત કરૂં તો શું કરશો?
જવાબ મળ્યો : અપમાનિત કરી કતલ કરી નાખશું. કેટલીક રિવાયતમાં છે કે, . ઉમરે કહ્યું : લાએલાહ ઇલ્લલ્લાહના કસમ, તમારી ગરદન ઉડાવી દઇશ.
ફરમાવ્યું : શું તમે અલ્લાહના બંદા અને રસુલના ભાઇને કતલ કરશો?
. અબુબકર અથવા . ઉમર (જુદી જુદી રિવાયતો મુજબ) કહ્યું : ખુદાના બંદા હોવાનું કબુલ છે, પણ રસુલે ખુદા (...) ના ભાઇ હોવું, સાચું નથી.૧૯૫
હઝરત અલી (..) ફરમાવ્યું : જો ખુદાનો અગાઉથી થયેલો નિર્ણય હોત અને મારા હબીબ સાથેના મારા કરાર - વચન હોત, તો તમે જોઇ લેત કે કોના મદદગાર અને સાથીઓની સંખ્યા ઓછી છે.
ત્યાર પછી હઝરત અમીરૂલ મોઅમેનીન (..) લોકોને પોતાના સંબંધે સંબોધીને કહ્યું : હે મુસલમાનો! મુહાજિરો  અન્સારો! હું તમને ખુદાના સોગંદ આપીને પુછું છું, શું તમે ગદીરના દિવસે રસુલ (...) ના મુખે નહોતું સાંભળ્યું, જંગે તબુકના પ્રસંગે નહોતું સાંભળ્યું, સૌએ એક અવાજે કહ્યું : હા, સાંભળ્યું હતું. . અબુબકરને ભય લાગ્યો કે ક્યાંક લોકો એમની મદદ કરવા માટે તૈયાર થઇ જાય, અને તેઓ (. અબુબકર) ને એક બાજુ હડસેલી દે, ત્યારે તેમણે આગળ વધીને કહ્યું : આપે જે કંઇ કહ્યું, તે દુરૂસ્ત- સાચું છે. અમે પોતે અમારા કાને સાંભળ્યું છે. અને મનમાં સારી રીતે સાચવેલું છે. પરંતુ ત્યાર પછી રસુલુલ્લાહ (...)ને કહેતા સાંભળ્યા છે કે, અમો અહલેબયતને ખુદાએ મુન્તખબ કર્યા, અમને ઇઝઝત અને પ્રતિષ્ઠા આપી, અમારા માટે આખેરતને દુન્યા ઉપર અગત્યતા આપી, ખાત્રીપૂર્વક અલ્લાહ અમો અહલેબયત માટે નબુવ્વત અને ખિલાફતને એક જગ્યાએ નહિ રાખે.
હઝરત અલી (..) પુછ્યું : શું તમારા સિવાય બીજા કોઇએ હદીસ સાંભળી છે?
. ઉમર : ખલીફએ રસુલે સાચું સાચું કહ્યું છે, અમે હદીસ સાંભળી છે.
અબુ ઉબૈદા, હુઝૈફાના આઝાદ કરેલા ગુલામ સાલિમ અને મઆઝ બિન જબલે પણ સમર્થન કરતાં કહ્યું, હા અમે રસુલુલ્લાહ (...) ના મુખેથી હદીસ સાંભળી છે.
હઝરત અલી (..) કહ્યું : ખરી રીતે તમે લોકો લઅનતી કરાર ઉપર અમલ કરી રહ્યા છો, જે તમે ખાનએ કાબામાં કર્યો હતો કે જો મોહમ્મદ કતલ થઇ જાય અથવા દુન્યાથી રૂખ્સત થઇ જાય, તો એહલેબયત (..) પાસેથી ખિલાફતને હુકુમત ખૂંચવી લેશો.
. અબુબકર : આપને ક્યાંથી ખબર પડી, અમે તો આપને કહ્યું નથી.
હઝરત અલી (..) : ઝુબૈર! સલમાન! અબુઝર! મિકદાદ! હું તમને ખુદાનો વાસ્તો આપીને પુછું છું, જ્યારે રસુલ (...) ફરમાવી રહ્યા ત્યારે નહોતું સાંભળ્યું હતું કે ફલાણા .....ફલાણા.... (પાંચેયના નામો લઇને) આપસમાં વચનબદ્ધ થયા છે જેના ઉપર આજે અમલ થઇ રહ્યો છે.
બધાએ કહ્યું, ચોક્કસ - ખાત્રીપૂર્વક અમે સાંભળ્યું હતું લોકોએ લેખિત કરાર કર્યા હતા કે જો હું (રસુલ) કતલ થઇ જાઉં તો લોકો તમારાથી ખિલાફત ઝુંટવી લેશે.
અલી તમે કહ્યું હતું, અલ્લાહના રસુલ (...), તમારા ઉપર મારા મા - બાપ કુરબાન થાય વખતે મારા માટે આપનો શો હુકમ છે?
રસુલે ખુદા (...) ફરમાવ્યું હતું, અલી! જો મદદગાર અને સાથીદારો મળી જાય તો કુરઆન પ્રમાણે જેહાદ કરજો, જો મદદગાર મળે તો પોતાના પ્રાણની રક્ષા કરજો.
હઝરત અલી (..) ફરમાવ્યું, ખુદાના સોગંદ, જો ચાલીસ જણે મારી બયઅત કરી હોતે, જો તેઓ વફાદારી બતાવતે, તો હું ખુદાના ખાતર તમારી સામે જેહાદ કરતે, ખુદાની કસમ, કયામત સુધી તમારી નસલમાં કોઇને પણ (ખિલાફત) નહિ મળે. તમારામાં એટલી હિમ્મત આવી ગઇ કે અલ્લાહની આયતને રસુલ (...) ના કૌલ વડે જુઠલાવી રહ્યા છો?
અમ યહસોદૂન - નાસ અલા મા આતાહોમુલ્લાહો કેતાબ - હિકમત આતયમનાહુમ મુલ્કન અઝીમ૧૯૬ અથવા શું તેઓ તે લોકોની કે જેમને અલ્લાહે પોતાની કૃપાથી જે કાંઇ આપ્યું છે. (તે માટે) અદેખાઇ કરે છે? તો બેશક અમોએ ઇબ્રાહીમની ઔલાદને કિતાબ અને હિકમત તથા તેમને ઘણી મોટી સલ્તનત આપી હતી.
કિતાબ એટલે નબુવ્વત, હિકમત એટલે સુન્નત અને મુલ્કથી મુરાદ ખિલાફત છે. અને અમે છીએ આલે ઇબ્રાહીમ.
વખતે બુરૈદાએ ઉભા થઇને કહ્યું : ઉમર! શું તમો બન્નેને રસુલે ખુદા (...) હુકમ નહોતો કર્યો કે અલી પાસે જાવ અને અમીરૂલ મોઅમેનીન કહીને સલામ કરો વખતે તમે બન્નેએ પુછ્યું હતું કે હુકમ શું અલ્લાહ તરફથી છે? હુઝુર (...) કહ્યું હતું, હા, અલ્લાહ તરફથી છે.
. અબુબકરે કહ્યું, હા એમજ થયું હતું, પણ તમે સમયે ગેરહાજર હતા અને અમે મૌજુદ હતાં, ત્યાર પછી તો એક બીજી સ્થિતિ જન્મી.
એક રિવાયતમાં છે : . અબુબકરે કહ્યું, હા એમજ હતું, પણ ત્યાર પછી રસુલે ખુદા (..) ફરમાવ્યું હતું : નબુવ્વત અને ખિલાફત મારી એહલેબયતમાં એકત્ર નથી થઇ શકતી.
બુરૈદા : ખુદાના સોગન્દ છે, શું રસુલે ખુદા (...) આમ કહ્યું હતું?
. ઉમર : તમને બધી વાતો સાથે શું લાગે વળગે? આમાં શા માટે માથું મારો છો?
બુરૈદા : ખુદાના કસમ છે, જે શહેરમાં તમે હશો ત્યાં હું નહિ રહું.
. ઉમરના હુકમથી બુરૈદાની મારીને હાંકી કાઢવામાં આવ્યા.
પછી જનાબે સલમાન ઉભા થાય અને બોલ્યા : અબુબકર! ખુદાથી ડરો. તમે જ્યાં બેઠા છો ત્યાંથી ઉભા થઇ જાવ અને જગા એને સોંપી દો જે એને લાયક છે - અધિકારી છે. લોકો કયામત સુધી આરામ અને શાંતિમાં જીંદગી પસાર કરશે, બે માણસો પણ આપસમાં લડશે નહિ.
. અબુબકરે કશો જવાબ આપ્યો. . સલમાને પોતાની વાત ફરીથી દોહરાવી. . ઉમરે . સલમાનને તોડી પાડ્યા અને કહ્યું : તમને વાતોથી શો મતલબ છે? સલામે કહ્યું : ઉમર જરા શાંત રહો. અબુબકર! તમે જગ્યા તેના હકદાર - અધિકારી માટે છોડી દયો. લોકો કયામત સુધી શાંતિથી જીવશે. જો કામ નહિ કરો તો લોકોમાં ખૂનખરાબા થશે. હલકા વર્ણના લોકો, ગુલામીમાંથી આઝાદ થયેલાઓ, મુનાફિકો ઇસ્લામમાં રસ લેવા માંડશે. જો મને એમ થાય કે હું કોઇ મઝલૂમનો બચાવ કરી શકીશ, દીનની ઇઝઝત વધારી શકીશ, તો હું તલવાર વડે જંગ કરીશ. તમે લોકો રસુલ (...) ના જાનશીનની વિરૂદ્ધ એકસંપ થઇ ગયા છો! તો હવે બલાઓ માટે તૈયાર થઇ જાવ અને સુખશાંતિને ભુલી જાવ.
ત્યાર પછી . અબુઝર ઉભા થયા અને સંબોધન કર્યું :
ઇન્નલ્લાહસ - તફા આદમ નૂહંવ આલ ઇબ્રાહીમ આલ ઇમરાન અલલ આલમીન ઝુર્રિયતન બઅઝોહા મિન બઅઝે વલ્લાહો સમઉન અલીમ.
નિસંશય અલ્લાહે આદમ તથા નૂહને અને ઇબ્રાહીમના વંશજોને તથા ઇમરાનના વંશજોને સઘળી દુન્યાવાળાઓ ઉપર ચુંટી કાઢ્યા છે, તેઓ એકબીજાના વંશમાંથી કેટલાકોને, અને અલ્લાહ મહાન સાંભળનાર (અને) જાણનાર છે.૧૯૭
આલે મોહમ્મદ (...) જનાબે નૂહ (..) ના વંશમાંથી છે. આલે ઇબ્રાહીમ (..) જનાબે ઇબ્રાહીમ (..) - જનાબે ઇબ્રાહીમ (..) ના વંશમાંથી જનાબે ઇસરાઇલના વંશમાં ચુંટાએલા અને માનવંતા લોકો ઇત્રતે રસુલ (...) છે. લોકો નબુવ્વતની અહલેબયત છે. રિસાલતનું મરકઝ (કેન્દ્ર) છે. ફરિશ્તાઓનું સ્થળ છે. તેઓ આકાશની જેમ ઉચ્ચ, પર્વતની જેમ મજબૂત, કાબાની જેમ માનનિય, સ્વચ્છ અને નિર્મળ ઝરણા, માર્ગ દેખાડનાર સિતારા, બરકતવાળા વૃક્ષ જેનો પ્રકાશ તેજવંત ખાતેમુન નબીય્યીન હઝરત મોહમ્મદ મુસ્તુફા (...) સમસ્ત બની આદમના સરદાર છે. અલી વસીઓના વસી, પરહેઝગારોના પેશ્વા, નજાત પામેલાઓના રાહબર,તેઓ સીદ્દીકે અકબર, ફારૂકે આઝમ છે. તેઓ મોહમ્મદે મુસ્તુફાના વસી, તેમના ઇલ્મના વારિસ છે. તેઓ બધાય મોમીનો ઉપર તેમના પ્રાણ ઉપર વધારે અધિકાર ભોગવે છે. જેમ કે ખુદાએ તેની કિતાબમાં કહ્યું છે :
અન્નબીય્યો અવલા બિલ મોઅમેનીન મિન અન્ફોસેહિમ, અઝવાજોહુ ઉમ્મહાતોહુમ ઓલુલ અરહામ બઅઝોહુમ અવલા બે બેઅઝિન ફી કિતાબિલ્લાહ
નબી મોમીનોના પ્રાણ (જાન) ઉપર તેમના કરતાં વધારે અધિકાર ભોગે છે. અને તે (નબી)ની પત્નીઓ તમારી માતાઓ છે. સગાવહાલાં અલ્લાહની કિતાબ અનુસાર એકબીજાના વધારે અધિકારી છે.૧૯૮
જેઓને અલ્લાહે અગ્ર સ્થાને રાખ્યા છે, તમે પણ તેમને અગ્રસ્થાને રાખો અને જેમને ખુદાએ પાછળ રાખ્યા છે તમે પણ તેમને પાછળ રાખો. અલ્લાહે જેમને વલી અને વઝીર બનાવ્યા છે તમે પણ તેમને વલી અને વઝીર તરીકે માનો - સ્વિકારો.
ત્યાર પછી . અબુઝર, . મિકદાદ અને . અમ્મારે હઝરત અલી (..) ને પુછ્યું, આપ શો હુકમ આપો છો, જો આપ આજ્ઞા આપો તો અમે જ્યાં સુધી કતલ થઇ જાઇએ ત્યાં સુધી જંગ કરશું?
. અલી (..) કહ્યું : ખુદા તમારા ઉપર રહમ કરે, ખામોશ રહો, - ચુપકીદી ધારણ કરો, રસુલ (...) જે વસીય્યત કરી છે તેને યાદ કરો પછી લોકો ચુપ થઇ ગયા.
ત્યાર પછી રસુલ (...) ની દાઇ અને જનાબે ઉમ્મે સલમા આગળ આવ્યા અને બોલ્યા અય અતીક! તમે લોકોએ આલે મોહમ્મદ (...) પ્રત્યે કેવો હસદ જાહેર કર્યો?
. ઉમરે તેણીઓને મસ્જીદમાંથી બહાર નીકળી જવા હુકમ કર્યો અને કહ્યું : સ્ત્રીઓને શું લાગેવળગે!૧૯૯
. ઉમરે . અબુબકરને કહ્યું : ( વખતે . અબુબકર મિમ્બર ઉપર બેઠા હતા.)આપને કોણે મિમ્બર ઉપર બેસાડ્યા છે. લડવૈયા (હઝરત અલી ..) અહિં બેઠા છે, ઉભા થઇને આપની બયઅત નથી કરતા! આપ એમની ગરદન ઉડાવી દેવાનો હુકમ કેમ નથી કરતા? હસન (..) અને હુસૈન (..) ત્યાં ઉભા હતા અને બધું જોઇ રહ્યા હતા, . ઉમરની વાતો સાંભળીને રડવા લાગ્યા. . અલી (..) તેઓને છાતીમાં વળગાડી દીધા અને કહ્યું : રડો નહિ, લોકો તમારા પિતાને કતલ નથી કરી શકતા વળી . ઉમરે કહ્યું, અબુ તાલિબના પુત્ર ઉભા થાવ અને બયઅત કરો!
. અલી (..) ફરમાવ્યું : અને જો હું બયઅત કરૂં તો?
. ઉમર : અમે આપની ગરદન ઉડાવી દેશું૨૦૦ સંવાદ ત્રણવાર બોલાયો.૨૦૧
હઝરત અલી (..) કબ્રે રસુલ (...) તરફ જોઇને ફરમાવ્યું : હે ભાઇ! કૌમે અશક્ત કરી નાખ્યો છે, તે મને કતલ કરી નાખવા માગે છે.૨૦૨
કેટલીક રિવાયતોમાં છે કે ઉપરના શબ્દો . ઉમર સાથેની વાતચીત પહેલા ઉચ્ચાર્યા હતા૨૦૩ કેટલાકમાં છે કે વાતચીત પછી બોલ્યા હતા.૨૦૪
આસમાન તરફ જોઇને બોલ્યા : હે અલ્લાહ, તું સાક્ષી રહેજે.૨૦૫
લોકોએ હઝરત અલી (..) નો હાથ ખેંચ્યો, આપે પોતાની મુઠ્ઠી બંધ કરી નાખી લોકોએ તે ખોલવા માટે ભારે કોશિશ કરી, પણ ખોલી શક્યા. . અબુબકરે બંધ મુઠ્ઠી સાથે પોતાનો હાથ અડાડ્યો.૨૦૬
વખતે હઝરત અલી (..) બોલ્યા : મેં રસુલ (...) ને કહેતા સાંભળ્યા છે, (કયામતમાં) મારા ઉંચા અને તાકતવાળા (અશક્ત) હું તમને જોઇશ - તેઓ મને જોશે; હું તેમને ઓળખી જઇશ - તેઓ મને ઓળખી જશે, પણ મારાથી દૂર હડસેલી દેવાશે. હું કહીશ, ખુદાવન્દા! તો મારા અસ્હાબ છે... મારા અસ્હાબ છે.
જવાબ મળશે : આપને શું ખબર લોકોએ તમારા (મૃત્યુ) પછી શું કર્યું, જેવા તમે એમનાથી જુદા પડ્યા કે બધા મુરતદ થઇ ગયા! (દીનથી ફરી ગયા)
હું કહીશ, દૂર થાવ અને અઝાબમાં પડો.૨૦૭

http://mazloomazehra.blogspot.com 

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers